આવું કેમ થાય છે?
  (છેલ્લા બે વીકમાં  ત્રણથી ચાર વખત ફ્યુનરલમાં જવાનું થયું..કોઈ સ્વજન, કોઈ મિત્ર ખોયો.દુ:ખ થાય છે.બસ આવું કેમ થાય છે? એ વિચારોમાં આ કાવ્ય સરી પડ્યું) રોજ રોજ ફ્યુનરલમાં જવાનું થાય છે, આવું કેમ થાય છે? એક પછી એક સ્વજન સ્વધામ જાય છે, આવું કેમ થાય છે? ઊંમર કેવી આવી,મિત્રો ઓછા થાય છે, આવું કેમ થાય છે? વર્ષો વિતાવ્યા સાથ, સાથી ઓછા થાય છે, આવું કેમ થાય છે? બાગમાં ગાતી’તી કોયલ,ત્યાં કાગડાઓ જાય છે, આવું કેમ થાય છે? કેવી તે સાંજ આવી!સૂરજ રિસાતો જાય છે, આવું કેમ થાય છે? આજ-કાલ કેમ ફ્યુનરલમાં જવા... Read Full Story
જૈન તીર્થધામ-પાલીતાણા
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.  શહેર જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત ૧૨૫૦ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારી પણ નહીં. મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), ... Read Full Story
વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
વરસાદની  મોસમ અને  કોરી   નજર કહેવું પડે! સાગર તરે  જ્યાં  માછલી   કાંધ પર કહેવું  પડે! મુજ પ્રેમની વાતો નગરમાં આમ વાત થઈ પડી, ત્યાં સૂર્યના તડકા વિશે  સૌ  બેખર    કહેવું પડે! આકાશ  જેવા મૌનની ચાહત અમે   વાવી હતી, ઘોંઘાટના સાગર ઊગ્યા પાંપણ  ઉપર કહેવું પડે! ફરિયાદ એના નામની  કરવા  ગયો  દરબારમાં, બુઠ્ઠી  કલમની ઘારની   જાણી અસર  કહેવું પડે! વરસાદ કે વૈશાખ એ  તો   જિંદગીના છે ભરમ, ‘રશ્મિ’   સમજ કે બે ઘડી બાકી સફર કહેવું પડે! -રશ્મિ શાહ Read Full Story
વાંચતાં-વિચારતા
એક હાઈકુ, જે અમર બની ગયું.. હાઈકુ-જાપાનો એ સઘન કાવ્યપ્રકાર છે , જેમાં માત્ર સત્તર અક્ષરોમાં એક સમગ્ર વિચાર કે દ્રશ્ય કે આદર્શ કહી દેવાય છે. હાઈકુનો ગુજરાતીમાં પ્રથમ પ્રયોગ કરનાર’સ્નેહરશ્મિ; એ પાંચ-સાત-પાંચ અક્ષરો વડે હાઈકુ રચ્યાં. પછી તો ગુજરાતીઓને આ કાવ્ય પ્રકારમાં ભારે રસ પડી ગયો. કોઈ કે  સેંકડો હાઈકુ રચ્યાં અને પાટણના મારા વડીલ મિત્ર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયે તો આઠ હજાર  જેટલાં હાઈકુ રચ્યાં.                                 દુનિયાભરમાં હાઈકુ રચાયાં, પરંતુ બધાં હાઈકુના પૂર્વજરૂપ અને ... Read Full Story
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.
  હવે  થાકી  ગયો, સાકી    પુરાણા એ   સુરાલયથી, નશો   ચડતો   નથી   મુજને તમારા મ્હેંકતા મયથી. ગગનમાં   શું  રહે છે,  કોક   મારા  જેવો દુર્ભાગી, કોઈ   બોલાવતું  લાગે  છે  મુજને    એ મહાલયથી. બધા  દ્રશ્યો  અલગ  દેખાઈ  છે,એ   ભેદ સાદો છે, હું  દેખું  છું વિમાસણમાં,તમે  દેખો છો   સંશયથી. હું   જાણી  જોઈને  મારાં કદમ   એ   જાળમાં મૂકું, નથી   હોતો   કદી   અજ્ઞાત તારા કોઈ આશયથી. તમે   અદ્રશ્ય   રહી બાજી    રમો ગાફેલ  રાખીને, મહત્તા   કોઈની   ઘટતી   નથી એવા પરાજયથી. ન  મારી આ દશાને   ભૂલથી  પણ   દુર્... Read Full Story
ઈન્દિરા ગાંધીનો નિર્વાણદિન..
ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન-ઓકટૉબર૩૧,   તેમના ઘણા ઉપવાસોમાંથી એક દરમ્યાન મહાત્મા ગાંધી સાથે નાની ઈન્દિરા નહેરુ ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ; નહેરુ; (19 નવેમ્બર 1917 – 31 ઑકટોબર 1984) એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં. રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્... Read Full Story
હેલોવીન (Halloween)-ઈતિહાસ
હેલોવીન (Halloween, અથવા Hallowe’en ) 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે. તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત કરી છે. [૧][૨][૩] આઇરિસ વસાહતીઓ આયર્લેન્ડના 1846ના મહાન દુકાળ વખતે આ પરંપરાના પ્રકારો ઉત્તર અમેરિકા લઈ ગયા હતા. [૪] આ દિવસ સામાન્યપણે નારંગી અને કાળા રંગ સાથે સંકળાયેલો છે અને જેક-ઓ-લેન્ટર્ન જેવા પ્રતીકો સાથે ગાઢપણે જોડ... Read Full Story
કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું….
    ૧. અકર્મી કોને કહેવાય ?                            ઊંટ પર બેઠા હોય છતાં જેને કુતરું કરડી જાય એ અકરમી !! ——————————————-  ૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો,     કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !! ——————————————–  ૩.  ઘણાં પુરુષો સ્ત્રીને ધિક્કરે છે,      કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !! ——... Read Full Story
યાદ રે’વાદે
  ન  કર  બરબાદ  ઘર  મારું, ભલા સય્યદ  રે’વાદે, બચેલા  તણખલા  માળા   મહીં    આબાદ  રે’વાદે. છે  તારી  યાદથી  આબાદ  દિલનો બાગ આ મારો, ભલે  ના  આવ  તું કિન્તુ   દિલે તુજ યાદ  રે’વાદે. થયો બેહોશ, તેને   હોશમાં  લાવીને    શું કરશે? બિચારાના  દિલે   તારો પ્રણય-ઉન્માદ    રે’વાદે. કર્યા પાગલ ઘણાને   રૂપથી આંજી  મહોબ્બ્બતમાં, ભલા થઈને    હવે શાણો   જગે   એકાદ રે’વાદે. હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ’, મરણ થાતાં   કરી માતમ   નકામી યાદ રે’વાદે. -&#... Read Full Story
પથ્થરથી
  શિકાયત ભૂલથી  પણ  નથી  કરતો સિતમગરથી, નથી  હું આપતો ઉત્તર કદી  પથ્થરનો  પથ્થરથી. ઉપેક્ષા પ્રેમની  કરશો    છતાંયે  યાચના  કરીશું, કિનારાઓ  કદી  આઘા થયા છે    શું સંમદરથી? હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું, કિનારે નાવ  લાવે   જેમ કો’ તોફાની સાગરથી. જગતનાં સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો, કોઈ  તરસ્યો નહીં ફરશ  અમારા સ્નેહ-સાગરથી. પુરાણા   મિત્રને   તરછોડી  દે  છે  વાતવાતોમાં, કરે  છે  માનવી એવું  નથી  થતું    જે ઈશ્વરથી. મુસાફર તો વિખૂટા  થાય  છે   ક્યારેક મંજિલથી, એ મંજિલનું ... Read Full Story